પૃષ્ઠો

વૃંદાવન પા્થમિક શાળા આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

ગુજરાતની નદીઓ


ગુજરાતની નદીઓ
નર્મદા : ગુજરાતની જીવાદોરી સમી ધ્યાનાકર્ષક નદી તે નર્મદા-ઋક્ષ પર્વતમાંથી નીકળી તે રેવાનામે વિંધ્યના અમરકંટકમાંથી નીકળી બંને માંડલ નજીક સંગમ પામી એક બીજીના પર્યાયરૂપ બની જાય છે. મહાભારતના અરણ્યક પર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્‍ણી પછી વૈડૂર્ય પર્વત પછી નર્મદાને ગણાવી છે. સ્કંદપુરાણમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળોનાં ગુણગાન કર્યાં છે. જૈન સાહિત્યમાં પણ નર્મદાનો ઉલ્લેખ થયેલો મળે છે. આચાર્ય હેમચન્દ્રના દ્વયાશ્રય કાવ્યમાં, ‘પ્રબંધચિંતામણિમાં, ‘વિવિધ તીર્થકલ્પમાં એનો નિર્દેશ જોવા મળે છે. એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે.
મહી : મહાભારતના આરણ્યક પર્વમાં ચર્માણ્યવતી પછીમહીકહી છે તે ક્યાંની તે સ્પષ્‍ટ નથી. એમાં એના પછી નર્મદા અને ગોદાવરી કહે છે. મહતીતરીકે પુરાણોમાં નોંધાયેલી નદી મહી હોય એવો સંભવ છે. માર્કેન્ડેય બ્રહ્મ અને વામન પુરાણોમાં મહીઅને બ્રહ્માંડ પુરાણમાં મહીનદી કહી છે. પાર્જિટર નામે વિદ્વાન મહીતાઅને મહતીને મહી કહે છે. મહી નદી મધ્યપ્રદેશની ગિરિમાળામાંથી નીકળી ડુંગરપુર-વાંસવાડા વચ્ચે પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશી ખેડા જિલ્લામાં થઈ ખંભાતના અખાતમાં પડે છે જ્યાં એનેમહીસાગરકહે છે.
સરસ્વતી : ગુજરાતમાં બે સ્થળોએ સરસ્વતીનામની નદીઓ છે. તેમાંની એક અંબાજી નજીક ઉદ્દભવ પામી સિદ્ધપુર પાસે પૂર્વવાહિની બની લાંબો પંથ કાપી કચ્છના રણમાં લુપ્‍ત થાય છે. જ્યારે બીજી દ‍ક્ષિ‍ણ ગીરના ડુંગરોમાંથી નીકળતી પ્રભાસ પાસે હીરણ નદીમાં મળે છે. સ્કંદપુરાણમાં એહરિણી‘, ‘વજ્રિણી‘, ‘ન્યંકુ‘, ‘કપિ‍લા‘, અને સરસ્વતીએવાં પાંચ નામે પ્રગટ થયેલી કહી છે.
પર્ણાશા (બનાસ) : મહાભારત અને પદ્મપુરાણમાં એકપર્ણાશાનદી છે. તેનું પાંઠાતર પૂર્ણાશાઅને પુરાણોમાં વર્ણાશાતરીકે મળે છે.વર્ણાશાને માર્કંડેય પુરાણમાં વેણાસાકહેલી છે એ હાલની બનાસ નદી છે. આમ તો બે બનાસ નદીઓ જોવા મળે છે. તેમાં એક ચંબલની શાખા છે ને પૂર્વગામીની છે. બીજી ગુજરાત બનાસ છે તે પશ્ચિમગામિની છે. ઇસ્વીસનની પહેલી સદીમાંના નાસિકના અભિલેખમાં નહપાનના જમાઈ ઉષવશતે બાર્ણાશાનદીથી પોતાના દાનપુણ્યનો આરંભ કરેલો. ભૌગોલિક પૂર્વાપર સંબંધ જોતાં બર્ણાસાએ જ ગુજરાતની બનાસ છે, જેને જૈન સાહિત્યમાં બન્નાસકહી છે. આ બનાસ નાથદ્વારા (મેવાડ)ની પશ્ચિમની પહાડીઓથી નીચે ઊતરી આબુ રોડ ખાતે ખરેડીથી બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે.
તાપી : તાપીનું નામ રામાયણ-મહાભારતમાં જોવા મળતું નથી પણ પુરાણોમાં મત્સ્ય, કૂર્મ, વાયુ, બ્રહ્માંડ અને માર્કંડેયમાં એનો નિર્દેશ મળે છે. ઉપર જણાવ્યું તેમ ઉષવદાતના નાસિકના અભિલેખમાં બનાસ પછી તાપી વગેરે નદી જણાવેલી છે. રાજશેખરે તેને નર્મદા અને પયોષ્‍ણી વચ્ચે આવેલી કહી છે. તાપી વિંધ્યમાંથી નીકળી ખંભાતના અખાતના નાકે પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગુજરાતની સમૃદ્ધ નદીઓમાંની તે એક છે. નર્મદાની પેઠે વેપાર માર્ગ તરીકે તેનો ઉપયોગ થતો. સુરત એ તાપીને કાંઠે આવેલું પ્રખ્યાત બંદર છે.
શ્વભ્રવતી : આ શ્વભ્રવતી એ જ આપણી સાબરમતી. મેવાડમાંથી ઉતરી આવી કોતરોમાં વહેતી તે આજના સાબરકાંઠાના શ્વભ્રપ્રદેશમાં વહેતી જૂના આસાવલ અને કર્ણાવતી-અમદાવાદ પાસેથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે, તે પદ્મપુરાણની સાબરમતીકે સાભ્રમતી નદી છે. સ્કંદપુરાણ અનુસાર વિશ્વામિત આવતાં વશિષ્‍ઠે વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું. જેમાંની એક સરસ્વતીઅને સંભ્રમથી જોતાં નીકળ્યું તે નદીસાભ્રમતી‘. પદ્મપુરાણ સત્યયુગમાં એનું નામ કૃતવતી‘, ત્રેતામાંગિરિકર્ણિકા‘, દ્વાપરમાં ચંદનાઅને કલિયુગમાં સાભ્રમતીહોવાનું કહે છે. તેમાં સાબરમતીનાં બેઉ કંઠ પ્રદેશનાં અનેક તીર્થોની નામાવલિ પણ આવેલી છે. તેમાં ચન્દ્રભાગા-સંગમ પાસે દધીચિ ઋષિએ તપ કરેલું. જે આજે દધીચિ કે દૂધેશ્વરના આરા તરીકે ઓળખાય છે.
હસ્તિમતી (હાથમતી) : સાબરકાંઠામાં સાબરમતી નદીનેહાથમતીનામે નદી મળે છે. પદ્મપુરાણમાં તેને હસ્તમતીકહી છે. સાબ્રમતી મહાત્મ્યઅનુસાર સાબરકાંઠાની ઈશાને આવેલી ગિરિમાળામાંથી નીકળી, નજીકના પાલ ગામને અડધો આંટો મારી, ત્યાંથી હિંમતનગર પાસે થઈ પશ્ચિમવાહિની બની આગળ જતાં એ સાબરમતીને મળે છે. જો કે પદ્મપુરાણમાં એને શુષ્‍કરૂપાએટલે કે સૂકી નદી કહી છે.
વાર્તદની : મધ્ય ગુજરાતમાં આવેલી વાત્રક નદીનેપદ્મપુરાણમાંવાર્તધ્નીકહી છે. એના પહેલાના પુરાણોમાં તેનેવૃત્રધ્નીતેમજ વ્રતધ્નીપણ કહી છે. વૃત્રને ઇંદ્રે મારી નાખેલો તેથી ઇંદ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું. આ બ્રહ્મહત્યાનું નિવારણ વાત્રધ્નીઅને સાભ્રમતીના સંગમતીર્થ-આજનું વૌઠામાં નહાવાથી થયું હતું. આ નદી માળવામાંથી નીકળી પશ્ચિમ પ્રદેશમાં વહી આવે છે. પદ્મપુરાણ એનું બીજું નામવૈત્રવતીજણાવે છે. મહાભારતમાં નોંધાયેલી વેવતીતે જુદી છે.
સેટિકા (શેઢી) : પદ્મપુરાણમાં મહી અને વાત્રકના વચગાળાના પ્રદેશમાં પશ્ચિમાભિમુખ વહેતી ખેડા પાસે એકરૂપ થઈ વૌઠા પાસે સાભ્રમતીને મળે છે. સ્તંભનક તીર્થાવતાર પ્રબંધ અનુસાર પાર્શ્વનાથના બિંબને કાંતીનગરના એક ધનપતિના મહાલયમાંથી શાતવાહનની પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામસેડીનદીના કિનારે કરાવે છે. સેટિકાનદી કાંઠે સ્તંભન (થામણા) ગામ વસ્યું છે ત્યાં તેને સેટીપણ કહે છે.
વલ્કલિની ને હિરણ્યમય : પદ્મપુરાણમાં આ બંનેને નજીક નજીક કહી છે. એમાંની વલ્કલિની ઇડર પાસેથી નીકળી હોવાની શક્યતા છે. જ્યારે હિરણ્યમયી ખેડબ્રહ્મા પાસે વહેતી હરણાવ-હિરણ્યા છે, જે આગળ જતાં સાબરમતીને મળે છે. હિરણ્યા નદી પાણિનિના ગણપાઠમાં પણ નોંધાયેલી છે. એક હીરણ કે હિરણ્યા પ્રભાસપાટણ પાસે પણ મળેલી છે.
વિશ્વામિત્રી : મહાભારતના ભીષ્‍મપર્વમાંવિશ્વામિત્રાનદી છે તે કદાચ પારિયાત્રામાંથી નીકળતી પારાનદી હોય. એ નદીને ભૃગુઓ સાથે સંબંધ હોવાનું સમજાય છે. એ રીતે વિચારતાં વડોદરા પાસેથી વહેતી વિશ્વામિત્રીવિંધ્યના સાતપુડા-પાવાગઢ પર્વતમાંથી આવે છે. એનો મેળ ચ્યવનના આશ્રમ પાસેનીવિશ્વામિત્રાસાથે મળી શકે.
ગોમતી અને ચંદ્રભાગા : સ્કંદપુરાણમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્‍મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ પાંચ નદીઓનો સંગમ કહ્યો છે. આજની દ્વારિકાની પૂર્વ તરફથી આવતો વહેળો તેગોમતીઅને દક્ષિ‍ણ તરફનો બરડિયા ગામ તરફ નીચાણવાળો પટ તે ચંદ્રભાગા-પાણિનિના ત્રણ પાઠમાં પણ એનો ઉલ્લેખ મળે છે. તેમાં ચંદ્રભાગાને નદી કહી છે. ગોમતીનો ઉલ્લેખ પણ મહાભારતમાં મળે છે. પદ્મપુરાણમાં તેને દધીચિના આશ્રમ પાસે સાભ્રમતીને મળતી કહી છે.
પ્રકીર્ણ નદીઓ : નાસિકના ઉષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને તાપીસાથે ગણાવી છે. આમાંનીપારદા વલસાડ પાસેની પાર‘, ‘દમણએ દમણ પ્રકીર્ણ નદીઓ : નાસિકના ઉષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને તાપીસાથે ગણાવી છે. આમાંની પારદાએ વલસાડ પાસેની પાર‘, ‘દમણએ દમણ પાસેનીદમણગંગાઅનેકરબેણાએ બિલિમોરા પાસેની અંબિકાને મળતી કાવેરી દક્ષિ‍ણ ભારતની કાવેરી કરતાં જુદી છે. દાહાનુકાએ થાણા જિલ્લાની દહાણુંનામે નાનકડી નદી. આ ઉપરાંત કાપીનામ પણ મળે છે તે કઈ નદી હશે તે સ્પષ્‍ટ થતું નથી.
સુવર્ણસિકતા, વિલાસિની, પલાસિની : આમાં સુવર્ણસિક્તા, સુવર્ણરેખા કે સોનરેખ. તેનું અને પલાશિનીનું પાણી એકત્ર થઈ જૂનાગઢનના "સુદર્શન" તળાવમાં પડતું. સ્કંદગુપ્‍તના લેખ અનુસાર પલાશિની, સિકતા અને વિલાસિની ત્રણ નદીઓના નામ મળે છે. આમાંથી સિકતા તેસુવર્ણસિકતા‘, ‘વિવિધ તીર્થકલ્પમાં સિકતાને સુવણ્ણારેહાકહી છે તેસોનરેખહોવા સંભવ છે.
અન્ય નદીઓના ઉલ્લેખો : અન્ય નદીઓમાં ગુર્જર નૃપતિવંશના દધ બીજાના ઈ. સ. ૪૯૫-૪૯૬ના દાન શાસનમાં અકુલેસ્વર(અંકલેશ્વર)વિષયમાંની વરંડાનદી, ઘરસેન બીજાના ઈ. સ.૫૭૧ ના દાનશાસનમાં આવેતી વત્સવહક‘, સૌરાષ્‍ટ્રમાં થાન પાસેની કોઈ પપ્રિમતિનદી, કતારગામના ૧૧૬ ગામોના સમૂહમાં ઉલ્લેખાયેલીમદાવિ‘ (મીંઢોળા), ઘરાય વિષયમાંની નેરાછનદી, શીલાદિત્ય ત્રીજાના ઈ.સ. ૬૬૬ના દાનશાસનમાં ઉલ્લેખિતવંશિટકાનદી તથા ઈ. સ. ૬૬૯ના દાનશાસનમાં આવતીમધુમતીદ્વારપાસેનીમધુમતીનદી, તેમજ માણછજ્જિકાએટલે કે માલણનદી વગેરે નદીઓ ગણાવી શકાય. આ અને એ ઉપરાંતની અન્ય નદીઓ કદાચ આજે પણ સૂકાઈ ગયેલી કે વહેતી હશે. આ નદીઓએ ગુજરાતના જીવનમાં એક જમાનામાં પોતાની જીવંત છાપ ઊભી કરેલી. આજે પણ લોકજીવનમાં એમનાં નામ ઘણે સ્થળે કોઈને કોઈ રૂપે સચવાઈ રહ્યાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો